મોરબીના રવાપર પાસે ઓમ પાર્કમાં યુદ્ધે ચડેલા ખુટીયાઓએ ચાર ગાડીમાં કર્યું નુકસાન
મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું
SHARE
મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ચોમાસાના વરસાદ બાદ કોલેજ પરિસરમાં છેલ્લા એક અઠવાડિયાથી પર્યાવરણ સંવર્ધનના અનુસંધાને બાવળ-બોરડી જેવા નકામા ઝાડ દૂર કરીને તેમજ નમી ગયેલ વૃક્ષોને કટીંગ કરીને તથા સમારીને પરિસર સંવર્ધન કરવામાં આવ્યું હતું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરીયાની આગેવાનીમાં આ કાર્ય આપણું પોતાનું હોય તેવું ગણીને તેમાં સેવક રાજેશ પરમાર, જે.એમ. કાથડ, એન.જી. ખોડિયાતર, નૈનાબેન તથા રંજનબેન જોડાયેલ હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં એનએસએસના સક્રિય સ્વયંસેવકો જોડાયેલ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૮ ચંપા, ૫ આસોપાલવ, ૨ લીમડા તથા ૯ ફૂલ છોડને યોગ્ય રીતે રોપવામાં આવ્યા હતા.