મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ


SHARE













મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિના પહેલા ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જે ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ પરણીતાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (55)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પત્ની શીતલબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (46) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 19/5/24 ના સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. અને હજુ સુધી તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી. જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ કરી છે






Latest News