મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજમાં જય વસાવડાની વિદ્યાર્થીઓને શિખ : "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે:"


SHARE

















મોરબી નવયુગ કોલેજમાં જય વસાવડાની વિદ્યાર્થીઓને શિખ : "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે:"

નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, M.B.A, M.Sc, DMLT ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓનો પ્રથમ દિવસે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડા મુખ્ય મહેમાન રહ્યા હતા. તેમણે તેના લેખન, વાંચન અને મોટીવેશન લેકચરર તરીકેના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને અસંખ્ય ઉદાહરણ આપી કરીઅર અને જીવનલક્ષી માહિતી આપી હતી તેમને જણાવ્યુ હતું કે "જલસા બધાને કરવા છે, પણ કોઈ જલસો મફત નથી.એના માટે કમાવું પડશે અને કમાવા માટે કોઈ જ્ઞાન કે આવડત જોઈશે.જેમ એક રાતમાં પરફેક્ટ ફિગર નથી થતું પણ રોજ કલાકો જીમ કે યોગ કરવા પડે, એમ મગજને પણ વાચનથી રોજ ધીરજ રાખી કસવું પડે."

વિશેષ ઉપસ્થિતીમાં મૂળ મોરબી જિલ્લાના વતની અને "હૈયું, હામ અને હિમાલય" પુસ્તક થી ઘરે ઘરે જાણીતા બનેલા અને હાલ ગુજરાત પોલીસમાં કોનસ્ટેબલની ફરજ બજાવતા ભૂમિબેન ભૂતની વિશેષ હાજરી રહેલી હતી.તેઓ ગીરનાર સ્પર્ધા, એથ્લેટિક, રનીંગ જેવી અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં અનેક સિદ્ધિઓ મેળવેલ છે. ઉપરાંત તેમણે અથાગ મહેનતથી માઉન્ટ મનાસ્લુ પર્વત સર કરીને રેકોર્ડ સ્થપિત કર્યું છે. તેઓએ વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝીટીવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.

સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમને પણ વિદ્યાર્થીઓને પોતે કેવી રીતે સફળ થયાં એ તેના લાઈવ ઉદાહરણ સાથે અનુભવો શેર કરી રસપ્રદ માહિતી આપી હતી. અને પી. ડી.કાંજીયાએ પોતાના જીવનના પ્રસંગો કહ્યા હતા.જેમાં કર્મનો સિદ્ધાંત જીવનમાં ખુબ અગત્ય નો છે, જેવું તમે કર્મ કરશો તેવું ફળ મળશે.વધુમાં જીવનમાં કેવો સંઘર્ષ અને સહસિકતા હતી તેમાં કેમ સફળતા મેળવવી તે ઉદાહરણ સહીત પોતાની જીવનગાથા વર્ણવી હતી.વધુ માં તેમને કહ્યું હતું "ગમે તેવા સંજોગો આવે પણ સત્ય અને નીતિમતા જાળવી રાખો એટલે સફળતા આપોઆપ મળે છે."આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા, નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડરિયા, નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઈ ગામી તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News