મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર


SHARE











મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને તોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવમાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે. તે દિવાલને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને દિવાલ તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલ બનાવવામાં આવી છે તેના લીધે નદીમાં પાણી રોકાઈ અને હોનારત થાય તેવી શક્યતા છે જેથી કરીને થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં દિવાલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું કામ શરૂ પણ કર્યું હતું.

જો કે, છેલ્લા દિવસોથી દિવાલ તોડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ખાખરેચી દરવાજા પાસે રહેતા લોકોને આજે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ દિવાલ નહીં દૂર કરવામાં આવે તો ભવિષ્યમાં ભરવાડવાસ, મકરાણીવાસ, જેલ રોડ, વાઘપરા ખાખરેચી દરવાજા સહિતના વિસ્તારમાં લોકોને જાનમાલને નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને તે દિવાલને વહેલમાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News