મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ૨૦ થી ૨૮ જુલાઈ સુધી ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન થયેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની ૬ જેટલી શાળામાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દૅઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૭ શાળાઓના ૨૦૮૮ વિદ્યાર્થીઓએ તથા ૨૧૨ શિક્ષકો એ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. તેમજ જુદીજુદી શાળામાં ધો. ૧ થી ૧૨ ના કુલ ૫૨ (બાવન) વિદ્યાર્થીઓ તથા ૪૮ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડો. જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણીયા, દિલીપભાઈ પરમાર, દિનેશભાઈ હુંબલ, ડો.ઉત્સવભાઈ દવે, ધૃમિલભાઈ આડેસરા અને હરદેવભાઇ ડાંગર જોડાયા હતા.




Latest News