અમદાવાદ ક્લસ્ટરમાં મોરબીની જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થીએ આર્ચરીમાં પ્રથમ નંબરે સિલેક્ટ
મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ૨૦ થી ૨૮ જુલાઈ સુધી ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન થયેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની ૬ જેટલી શાળામાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દૅઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૭ શાળાઓના ૨૦૮૮ વિદ્યાર્થીઓએ તથા ૨૧૨ શિક્ષકો એ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. તેમજ જુદીજુદી શાળામાં ધો. ૧ થી ૧૨ ના કુલ ૫૨ (બાવન) વિદ્યાર્થીઓ તથા ૪૮ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડો. જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણીયા, દિલીપભાઈ પરમાર, દિનેશભાઈ હુંબલ, ડો.ઉત્સવભાઈ દવે, ધૃમિલભાઈ આડેસરા અને હરદેવભાઇ ડાંગર જોડાયા હતા.