મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 


SHARE











મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 

મોરબીના રવાપર ગામે કોઇ અગમ્ય કારણોસર પટેલ યુવાને તેના ફલેટમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવના કારણ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે આવેલી શક્તિ ટાઉનશીપ વિસ્તારમાં આવેલ શુકુન હાઈટ ફ્લેટ નંબર-૧૦૧ માં રહેતા આકાશ વાઘજીભાઈ કાસુન્દ્રા નામના ૩૦ વર્ષીય પટેલ યુવાને તેના ફલેટમાં કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.હાલ કયા કારણોસર મૃતક આકાશ કાસુંન્દ્રાએ અંતિમ પગલું ભર્યું તે પોલીસ તપાસનો વિષય છે.

સતવારા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ચરાડવા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરની સામે રહેતા ભરતભાઈ ડાયાભાઇ સોનગ્રા જાતે દલવાડી નામના ૩૮ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને દવાખાને લઈ જવામાં આવતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશ ડાયાભાઈ સોનગ્રાએ પોલીસને જાણ કરી હતી.જેથી કરીને હળવદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.પી.રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.

વૃધ્ધ-યુવાન સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા કાદરશા જમાલશા શાહમદાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મોરબીના પંચાસર રોડ ઉપરથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગીતામીલની પાસે પડી જવાથી ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી હાલ નીચી માંડલ ગામે રહેતા અશ્વિન ગોવિંદભાઈ કનારા નામના ૨૯ વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News