મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 


SHARE











મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 

મોરબીના રવાપર ગામે કોઇ અગમ્ય કારણોસર પટેલ યુવાને તેના ફલેટમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવના કારણ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે આવેલી શક્તિ ટાઉનશીપ વિસ્તારમાં આવેલ શુકુન હાઈટ ફ્લેટ નંબર-૧૦૧ માં રહેતા આકાશ વાઘજીભાઈ કાસુન્દ્રા નામના ૩૦ વર્ષીય પટેલ યુવાને તેના ફલેટમાં કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.હાલ કયા કારણોસર મૃતક આકાશ કાસુંન્દ્રાએ અંતિમ પગલું ભર્યું તે પોલીસ તપાસનો વિષય છે.

સતવારા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ચરાડવા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરની સામે રહેતા ભરતભાઈ ડાયાભાઇ સોનગ્રા જાતે દલવાડી નામના ૩૮ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને દવાખાને લઈ જવામાં આવતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશ ડાયાભાઈ સોનગ્રાએ પોલીસને જાણ કરી હતી.જેથી કરીને હળવદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.પી.રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.

વૃધ્ધ-યુવાન સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા કાદરશા જમાલશા શાહમદાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મોરબીના પંચાસર રોડ ઉપરથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગીતામીલની પાસે પડી જવાથી ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી હાલ નીચી માંડલ ગામે રહેતા અશ્વિન ગોવિંદભાઈ કનારા નામના ૨૯ વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News