મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શિશુમંદિરમાં કાલે મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું વિમોચન કરાશે: વૈધસભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE











મોરબીના શિશુમંદિરમાં કાલે મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું વિમોચન કરાશે

મોરબીના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે અને મુદ્રાઓનું પોતાનું એક વિજ્ઞાન છે. આવી વિવિધ મુદ્રાઓનું વિજ્ઞાન સમજાવવાગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કે. રંગરાજ અયંગાર દ્વારા થઈ છે. જેનો માતૃભાષામાં અનુવાદ અનિલભાઈ રાવલ (પ્રધાનાચાર્યકર્ણાવતી) દ્વારા કરવામાં આવેલ છે

મોરબીમાં વિદ્યાભારતીગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ તા. ૨૯ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે રાખેલ છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ભાણદેવજીમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મુખ્ય વકતા તરીકે નિતિનભાઇ પેથાણી હાજર રહેશે. તેમ માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ બાબુભાઈ બેચરભાઈ અઘારા, મંત્રી જયંતિભાઇ પોપટભાઈ રાજકોટીયા તથા નિયામક સુનીલભાઇ રતીલાલ પરમારએ જણાવ્યુ છે

 

મોરબીમાં ધનતેરસે વૈધસભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

મોરબીમાં વૈધસભા દ્વારા ધનતેરસના દિવસે દર વર્ષે ધન્વંતરિ પૂજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ વૈધસભા દ્વારા આગામી તા. ૨ નવેમ્બરના રોજ ધનતેરસના દિવસે સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ધન્વંતરિ પૂજન મોરબીના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે રાખેલ છે જેમાં પૂજન વિધિ શાસ્ત્રી નીખિલભાઈ દ્વારા કરવામાં આવશે અને ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં દરેક સભ્યોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું વૈધસભાના પ્રમુખ ડો. બી. કે. લહેરુંમંત્રી ડો. ચેતન અઘારાબીએએમએસના પ્રમુખ ડો. જીતેશભાઇ અને મંત્રી ડો. મિલન જેતપરીયાની યાદીમાં જણાવ્યુ છે






Latest News