મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી દારૂ ભરેલ કારને પોલીસે પકડી છે અને તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી આવેલ છે જેથી પોલીસે દારૂ બીયર અને ગાડી મળીને 3,27,550 નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી કાર નંબર જીજે 36 એજે 4700 પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 52 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 27,550 ની કિંમતનો દારૂ તેમજ બિયર અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3,27,550 નો મુદામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા ઉદય જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (26) અને અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (24) રહે. બંને હાલ મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે. કળમાદ જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી રણુભાઈ લગધીરભાઈ કપરડા જાતે કાઠી દરબારનું નામ સામે આવ્યું છે જેથી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ ભગવાનભાઈ રામજીભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ, રાજેશભાઈ નરસંગભાઇ, વિજયભાઈ મુળુભાઈ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, પ્રદીપસિંહ બહાદુરસિંહ અને કમલેશકુમાર ગોવિંદભાઇ દ્વારા કરવામાં આવી હતી.






Latest News