મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કચ્છ મોરબીના સાંસદ દ્વારા રેલ્વે-રોડને લગતા પ્રશ્નોની મંત્રીઓને લેખિત-મૌખીક રજુઆત કરાઇ


SHARE











કચ્છ મોરબીના સાંસદ દ્વારા રેલ્વે-રોડને લગતા પ્રશ્નોની મંત્રીઓને લેખિત-મૌખીક રજુઆત કરાઇ

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરીની મુલાકાત લઈ કચ્છ મોરબીના રેલ્વે તથા રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર લેખિત મૌખીક રજુઆતો કરી હતી.

કચ્છ ખાણ ખનીજ, ઇન્ડસ્ટ્રીયો-અને પ્રવાસ ક્ષેત્ર ધરાવતું વિશાલ ક્ષેત્રવાળો જીલ્લો છે. લાખો લોકો દેશના વિવિધ પ્રાંતો માંથી રોજગાર ધંધા માટે આવન જાવન કરે છે.યાત્રિકો ને પુરતી સુવિધા મળે અને સમય અને પૈસાની બચત થાય માટે ફાસ્ટ, સુપર ફાસ્ટ અને વંન્દે ભારત જેવી ટ્રેનોની સુવિધા મળે, તેવી જ રીતે હીરા ઉધોગ, સિરામીક ઉધોગના હબ ગણાતા મોરબી ને પણ કચ્છ - સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી રેલ સેવા સુવિધા મળે માટે કચ્છ - મોરબી ના સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકસભાના બજેટ સત્ર દરમ્યાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી લેખિત અને મૌખીક રજુઆતો કરી હતી. ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ભુજ-રોહિલા ટ્રેનને હરિદ્વાર સુંધી લંબાવવા માટે રેલ મંત્રીએ સમંતી દર્શાવી હતી. ભુજ - અમદાવાદ મેટ્રો દેશમાં પ્રથમ હશે. રેલ્વે મંત્રી રજુઆતોની નોંધ લઇ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી કચ્છ ના રોડ રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ થી માળીયા મોરબી નેશનલ હાઇવે ખુબજ ટ્રાફીક અને ભારે વાહનો ના આવન જાવન થી કાયમ ટ્રાફીક જામ ની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા, સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમીનો છે. અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમીથી વધુ હોવું જોઇયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી. રાપર તાલુકાનાં બાલાસર ગામ વચ્ચેથી જતો નેશનલ હાઇવે બાયપાસ કરવા,

કંડલાથી નવલખી વાયા માળીયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઇવે) બને તો કિલો મીટર પણ ઘટે, બંદરો ના વિકાસમાં ખુબજ ઉપયોગી માર્ગ બની શકે, ભુજ - ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થતો હોઇ શેખપીર થી પાલારા જેલ સુંધી બાયપાસ બનાવવા, હળવદ - ટીકર - પલાંસવા રોડ ફોરલેન બનાવવા, રોડ બનાવવા વન વિભાગની મંજુરી મળે, પ્રવાસન વિભાગ ને વેગ આપતો ઘડૂલી - સાંતલપુર રોડ ના અધુરા કામો પુર્ણ કરવાની રજુઆતો કરેલ છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીજી એ બધી જ રજુઆતો ની નોંધ કરી વહેલી તકે પ્રશ્નો નું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News