મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને ધારાસભ્યઓ-અધિકારીઓ સહિતનાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ
મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો
SHARE
મોરબી જીલ્લાના જડેશ્વર પાસે લોકમેળો માણીને વાંકાનેર જતા બે યુવાનો ઉપર દિપડાનો હુમલો
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર પાસે લોકમેળાનું આયોજન કર્યુ છે. ત્યાં મેળો કરીને બે યુવાનો વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં વડસરના વળાંક પાસે દિપડાએ બંન્ને યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો, જેથી ઇજા પામેલા યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો શરૂ થયો છે ત્યાં ઘણા લોકો આવ્યા હતા અને મોડી સાંજના 8:30 વાગ્યાની આસપાસ મેળો કરીને બે યુવાનો પરત વાંકાનેર તરફ જતા હતા. ત્યારે ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (21) રહે. વાંકાનેર અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજા થઇ હતી. ત્યારે દિપડાએ યુવાનોના માથા ઉપર પંજો મારીને ઇજા કરી હતી. ત્યાર બાદ રોડ ઉપર ટ્રાફિક હોવાથી દિપડો પાછો જાળીમાં ભાગી ગયો હતો. અને બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.









