મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો


SHARE













મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2007 માં વિશ્વાસઘાત અને છેતરપીંડીની બે ફરિયાદ નોંધાયેલ હતી જે બંને ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ગાંધીનગર વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધરપકડ કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરલે છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. ત્યારે ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007 માં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બે ગુનામાં આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ વાળો હાલે ગાંધીનગર પાલમ રોડ સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે છે જેથી કરીને પીએસઆઈ વી.એન.પરમાર અને ટીમ  ગાંધીનગર પહોચી હતી અને આરોપી હીતેષભાઇ ધીરજલાલ સીરોયા (52) રહે. હાલ નાગપુર કામતી રોડ ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર) મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જીલ્લો અમરેલી વાળાને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News