મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો


SHARE







મોરબીના વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ગાંધીનગરથી પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2007 માં વિશ્વાસઘાત અને છેતરપીંડીની બે ફરિયાદ નોંધાયેલ હતી જે બંને ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીની ગાંધીનગર વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધરપકડ કરેલ છે. અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરલે છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. ત્યારે ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007 માં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના બે ગુનામાં આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ વાળો હાલે ગાંધીનગર પાલમ રોડ સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે છે જેથી કરીને પીએસઆઈ વી.એન.પરમાર અને ટીમ  ગાંધીનગર પહોચી હતી અને આરોપી હીતેષભાઇ ધીરજલાલ સીરોયા (52) રહે. હાલ નાગપુર કામતી રોડ ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર) મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જીલ્લો અમરેલી વાળાને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News