મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું


SHARE







મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતું છે, આજની દોડધામ ભરી જિંદગીમાં લોકોનો અકસ્માત થતો હોય છે, પડી જવાથી ફેક્ચર થઈ જતું હોય છે ત્યારે તૂટેલા હાડકાંને સાંધવા માટે ઓછામાં ઓછો ત્રણ માસનો આરામ બેડ રેસ્ટ ખુબજ જરૂરી હોય છે એ વખતે દર્દીને મેડીકલ પલંગની આવશ્યકતા પડતી હોય છે, વ્હીલ ચેર, કાંખ ઘોડી, વોકર, ટેકા માટે લાકડી, યુરોપિયન ટોયલેટ વગેરે વસ્તુઓની જરૂર પડતી હોય છે.

ત્યારે આવા દર્દીઓને ત્રણ માસ જેટલા ટૂંકા સમય માટે આવી મેડિકલ વસ્તુઓ ખરીદવી ન પડે એટલા માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂર હોય ત્યાં સુધી દર્દીઓને વિનામૂલ્યે વાપરવા આપે છે, અત્યાર સુધી રત્નકલા ગાંધીના કારખાનામાં ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલયથી ઉપરોક્ત વસ્તુઓ પ્રાપ્ત થતી હતી પણ હવેથી જેઠાબાપાના મકાનમાં ગૌતમ હોલની બાજુમાં, ગોલ્ડન માર્કેટ સામે, રવાપર ખાતેથી મળશે, અને પાટીદાર પરિવારના પેશન્ટને આવા મેડિકલ સાધનની જરૂરિયાત ઉભી થાય તો હરજીવનભાઈ બાવરવા (9427720043) અને હરજીવનભાઈ વિરમગામા (9377131180) તેમજ મણીભાઈ કાવરનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News