મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા


SHARE







મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા

મોરબી શહેરમાં શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર પણ રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અને જ્યાં જુઓ ત્યાં 24 કલાક રજડતા ઢોર રસ્તા ઉપર અડીંગા જમાવીને બેઠા હોય છે. જેથી કરીને આ રસ્તા ઉપર રજડતા ઢોર ગમે ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

હાલમાં મોરબી શહેરના પાડા પુલ ઉપર જે ફૂટપાથ લોકોને ચાલવા માટે થઈને બનાવવામાં આવી છે આ ફૂટપાથ ઉપર રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે. તથા જે પાડાપુલનો રસ્તો છે તે રસ્તા ઉપર પણ 50 ટકા સુધી રજડતા ઢોર બેઠેલા છે તે પ્રકારના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આવી જ રીતે મોરબીમાં શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખી માર્ગ અને ચોકમાં રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોવાના કારણે લોકોને ક્યાં ચાલવું તે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે.

જો કે, મોરબી નગરપાલિકાના અધિકારીઓ અવારનવાર ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેવા પ્રકારના નિવેદનો આપે છે પરંતુ મોરબીનો એક પણ વિસ્તાર આજની તારીખે એવો નથી કે, જ્યાં રજડતા ઢોરની સમસ્યા ન હોય ત્યારે મોરબીના પાડાપુલ ઉપરની ફૂટપાથ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવેથી લઈને મુખ્ય માર્ગો અને ચોકમાં 24 કલાક રજડતા ઢોરના અડીંગા જમાવીને બેઠા હોય છે. તે ઢોરને ઉપાડવા માટેની કામગીરી પહેલા કરવામાં આવે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો આ રજડતા ઢોરના કારણે ભોગ લેવાય ત્યાર પહેલાં નક્કર કામગીરી થાય તેવું મોરબીના લોકો ઈચ્છી રહ્યા છે.






Latest News