મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 


SHARE













મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે મોરબી નીચી માંડલ ગામે કેનાલ પાસે એક કિશોરી છે અને છેલ્લા ૧૬ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે જેથી કરીને કિશોરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી પાસે પહોચીને તેનું કાઉન્સિલિંગ કયું હતું અને તેને મોટીવેટ કરી હતી ત્યારે કિશોરી પાસેથી તેના ઘરનું સરનામું મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે, કિશોરી તેના માતા, પિતા, એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે રહે છે. અને કિશોરીએ કહ્યું હતું કે, કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને માર મારતાં હતાં. અને નાની નાની વાતે માનસિક ત્રાસ આપતા હતાઅને અપશબ્દો કહેતા હતા જેથી તે કંટાળીને ઘરેથી નીકળી ગયેલ હતી, અને તેના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા પાછળથી તે ઘરેથી નીકળી ગયેલ હતી. ત્યારબાદ તેમના માતા પિતા જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીનું સરનામું મેળવીને તેના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ હતી અને ત્યાં પહોચ્યા હતા. ત્યારે કિશોરીના માતા પિતાએ કહ્યું હતું કે, દીકરી કહ્યા વગર નીકળી ગયેલ હતી તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ હતા પરંતુ તે મળેલ ન હતી. હાલમાં કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે અને તેને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News