ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનની માથાકૂટમાં યુવાનને મારી નાખવાની ધમકી: પથ્થરના ઘા કરીને ઘરે બારી-દરવાજા અને કારના કાચ તોડી નાખ્યા


SHARE













ટંકારા તાલુકામાં જમીનની માથાકૂટમાં યુવાનને મારી નાખવાની ધમકી: પથ્થરના ઘા કરીને ઘરે બારી-દરવાજા અને કારના કાચ તોડી નાખ્યા

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાનની જમીન આરોપી પાસે હોય ફરિયાદી તથા તેના પરિવારજનો પોતાની જમીન પરત માનતા હતા. જે બાબતે આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ કરેલ છે જે કેસનો ચુકાદો ફરિયાદી તરફ આવે તેવી શક્યતા છે તે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાનને જમીન તેઓના નામે કરી આપવા માટે ફોન ઉપર તેમજ રૂબરૂ મળીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને ફરિયાદીના ઘર પાસે આવી પથ્થરના ઘા કરીને ઘરના કાચ તથા બહાર પડેલ કારના કાચ તોડી નાખીને નુકસાન કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ફિરોજભાઈ હુસેનભાઇ આગરીયા (41) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમહમદભાઈ ભુરાભાઈ આગરીયા અને સિરાજભાઈ નૂરમહમદભાઈ આગરીયા રહે. બંને બજરંગવાડી રાજકોટ તેમજ રમજાનભાઈ ઉર્ફે વાલો હારૂનભાઇ ઉઠામણા અને બીલાલ દિલાવરભાઈ ઉઠામણા રહે. બંને દૂધની ડેરી પાસે હૈદરી ચોક રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીની જમીન આરોપી નૂરમહમદભાઈ આગરીયા પાસે હોય તે જમીન ફરિયાદી અને તેના પરિવારજન પરત માંગતા હતા જે આરોપી નૂરમહમદભાઈ અને સિરાજભાઈને સારું નહીં લાગતા તે બાબતે ફરિયાદી સામે તેણે સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો અને તે કોર્ટ ચુકાદો ફરિયાદીની તરફે આવે તેવી શક્યતા છે જેથી ફરિયાદીને જમીન પોતાના નામે કરી આપવાનું કહીને રમઝાનભાઈ અને બિલાલભાઈ દ્વારા અવારનવાર રૂબરૂ મળીને તથા ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને તેમજ ફરિયાદીના ઘર પાસે આવીને ઘરે છુટા પથ્થરના ઘા કરીને ઘરમાં બારી દરવાજાના કાચ તથા બહાર પડેલ કારના કાચ તોડી નાખીને નુકસાન કર્યું હતું. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News