મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ


SHARE













મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા હુકમ કર્યો છે અને આગામી તા 17/9 ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે.

સુરતમાં અંદાજે એક વર્ષ પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી હતી અને તેને લઈને મોરબીમાં મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા પાટીદાર સમાજની માફી માંગવામાં આવી ન હતી.

ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી ફરિયાદ આપેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે તા 14 ઓગસ્ટના રોજ કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા માટે હુકમ કરેલ છે અને આગામી તા.17 મી સપ્ટેમ્બરે કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે. અને ત્યાર બડે બદનક્ષીનો કેસ મોરબીની તાલુકા કોર્ટમાં ચાલશે તેવું મનોજ પનારા અને તેના વકીલ જયદીપભાઈ પંચોટીયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News