મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીના કાલે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ


SHARE







રાષ્ટ્રવ્યાપી હડતાલ: મોરબીના કાલે હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવાઓ બંધ

મોરબી શહેરમાં આવતીકાલે શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવામા આવશે. કેમ કે, કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારીને હત્યા કરવામાં આવેલ છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે તેમાં મોરબીના ડોક્ટરો પણ જોડાવાના છે.

કલકત્તા મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવેલ છે. ત્યારે આ હડતાલમાં મોરબી આઇએમએના પ્રમુખ સહિતના તમામ હોદેદારો પણ જોડાયેલ છે અને આ હડતાલને થેલો આપવામાં આવેલ છે. અને આવતીકાલે શનિવારે મોરબી શહેરમાં ઈમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓ સવારે છ વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. તેવું મોરબી આઇએમએના પ્રમુખ ડો. નિકુંજભાઈ વડાલીયા અને સેક્રેટરી ડો. વિરલ લહેરુની યાદીમાં જણાવ્યુ છે.






Latest News