મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો


SHARE







મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો

મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે કુબેરનાથ દાદાની મંગલા આરતી બાદ રુદ્ર અભિષેક અને ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના કુબેરનાથ દાદાને તિરંગા ધ્વજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો તેવું મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યુ છે તો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધની સાથે 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે વડીલોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News