મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો
SHARE
મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો
મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે કુબેરનાથ દાદાની મંગલા આરતી બાદ રુદ્ર અભિષેક અને ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના કુબેરનાથ દાદાને તિરંગા ધ્વજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો તેવું મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યુ છે તો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધની સાથે 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે વડીલોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.