ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ બનાવીને બંધ કરી દીધેલ નંદીઘરની સંપૂર્ણ વિગત કોંગ્રેસે માંગી: માહિતી ન મળે તો આંદોલન


SHARE







મોરબી પાલિકાએ બનાવીને બંધ કરી દીધેલ નંદીઘરની સંપૂર્ણ વિગત કોંગ્રેસે માંગી: માહિતી ન મળે તો આંદોલન

મોરબીને ઢોરમુક્ત બનાવવા માટે પાલીકાએ નંદીઘર બનાવેલ હતું જો કે, તેને વહીવટદારના શાસન દરમ્યાન ખર્ચ ઘટાડવા માટે બંધ કરી દેવામાં આવેલ છે જો કે, આ નંદીઘર બન્યું ત્યારથી લઈને બંધ કરવામાં આવ્યું ત્યા સુધી કરવામાં આવેલ ખર્ચની માહિતી ત્યાં રાખવામા આવેલ રઝળતા ઢોરની તારીખ વાઈઝ વિગત સાથે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગવામાં આવી છે. અને તેના માટે પાલિકાને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકાના વહિવટદાર પાસેથી નંદીઘરની માહિતી માંગી છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં ભાજપની સતા હતી ત્યારે મોરબીને ઢોરમુક્ત કરવા નંદીઘર બનાવવામાં આવ્યું છે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજની તારીખે પણ રઝળતા ઢોરનો પશ્ન યથાવત છે. આ નંદીઘર બનાવવા માટે થઈને પાલીકાના કયા હેડમાંથી રૂપિયા વાપરવામાં આવ્યા ?, આ નંદીઘર બનાવવા માટે કઈ કઈ સંસ્થા તરફથી દાન મળેલ હતું ?, જેની સંસ્થાના નામ સહિત આંકડાકીય માહિતી તારીખ વાઈઝ આપવામાં આવે તેવી માંગ કરી છે

 

વધુમાં આ નંદીઘર કયારથી ચાલુ કરવામાં આવેલ હતું અને કયારે બંધ કરવામાં આવેલ છે ?, આ નંદીઘર બનાવવામાં આવેલ ત્યારથી બંધ કર્યા સુધીમાં કુલ કેટલા ઢોર રાખવામાં આવેલ હતા ?, આ નંદીઘર બનાવવા માટે થઈને જે પાલીકાએ ખર્ચ કરેલ છે તે રકમ કયા હેડમાં ઉધારવામાં આવી છે ? જેની આકડાકીય વિગતો તારીખ વાઈઝ પુરી પાડવી, આ નંદીઘરની અંદર કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા ? અને તે કર્મચારીઓને કેટલો પગાર ચુકવવામાં આવતો હતો ?, આ નંદીઘરમાં રાખવામાં આવતા રઝળતા ઢોરને નંદીઘરમાં મુકવા માટે કઈ સંસ્થાઓ આવતી હતી? જેના નામ સાથે વિગતો પુરી પાડવી, આ નંદીઘરમાં રાખવામાં આવેલ ઢોર માટે ઘાસચારો અને અન્ય વસ્તુઓની જે ખરીદી કરવામાં આવતી હતી તે વસ્તુઓની ખરીદી ક્યાંથી કરવામાં આવતી હતી ?, આ નંદીઘરમાં મુકવામાં આવેલા કન્ટેનરની ખરીદી ક્યાંથી કરવામાં આવેલ હતી અને શું ભાવથી ખરીદી કરવામાં આવેલ હતી ? અને આ માહિતી જો આગામી 15 દિવસમાં નહિ આપવામાં આવે તો નાછુટકે આંદોલન કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ ચીમકી ઉચ્ચારી છે.






Latest News