મોરબી જીલ્લામાં જુદીજુદી ટીમો દ્વારા અકસ્માતોને નિવારવા ગૌવંશોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું શરૂ
મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
SHARE
મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબીના માધાપર ઝાંપે આવેલા પાધરદેવી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાધરદેવી માતાજીનો બે દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે.
જેની માહિતી આપતા ધર્મેન્દ્રભાઈ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, તા 19 અને 20 ના રોજ આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા 19 ના રોજ રાત્રે 9:30 વાગ્યે રામજી મંદિર ચોકમાં સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સતવારા સમાજનું ગૌરવ આરતીબેન સતવારા (જોગાણી) સાથે કાનજીભાઈ ગઢવી અને તેની ટિમ જમાવટ કરશે. અને તા 20 ના રોજ સવારે 9:00 વાગ્યે નવચંડી યજ્ઞ, 10:00 વાગ્યે પાધરદેવી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, 10-30 કલાકે રામજી મંદિરેથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે, 11:00 વાગ્યે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, બપોરે 11:30 વાગ્યે માધાપર વિસ્તારના સમસ્ત ગ્રામજનોનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 4: 30 વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5:30 કલાકે માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવશે.
મેલડી માતાજીનું આખ્યાન
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા. 19 ને સોમવારે 9:30 વાગ્યે મેલડી માતાજીના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી માં મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. જેનો ધર્મપ્રેમી ભક્તોને લાભ લેવા માટે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.