હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના માધાપર ઝાંપે આવેલા પાધરદેવી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાધરદેવી માતાજીનો બે દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે.

જેની માહિતી આપતા ધર્મેન્દ્રભાઈ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, તા 19 અને 20 ના રોજ આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા 19 ના રોજ રાત્રે 9:30 વાગ્યે રામજી મંદિર ચોકમાં સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સતવારા સમાજનું ગૌરવ આરતીબેન સતવારા (જોગાણી) સાથે કાનજીભાઈ ગઢવી અને તેની ટિમ જમાવટ કરશે. અને તા 20 ના રોજ સવારે 9:00 વાગ્યે નવચંડી યજ્ઞ, 10:00 વાગ્યે પાધરદેવી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, 10-30 કલાકે રામજી મંદિરેથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે, 11:00 વાગ્યે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, બપોરે 11:30 વાગ્યે માધાપર વિસ્તારના સમસ્ત ગ્રામજનોનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 4: 30 વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5:30 કલાકે માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવશે.

મેલડી માતાજીનું આખ્યાન
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા. 19 ને સોમવારે 9:30 વાગ્યે મેલડી માતાજીના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી માં મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. જેનો ધર્મપ્રેમી ભક્તોને લાભ લેવા માટે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News