મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સહીત સર્વત્ર તા. 23 ના રોજ ગૌપૂજન થશે


SHARE













મોરબી સહીત સર્વત્ર તા. 23 ના રોજ ગૌપૂજન થશે

સનાતન વૈદિક ધર્મમાં  ધાર્મિક તહેવારોમાં બોળ ચોથ, ગાય પૂજનના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે.મોરબીના વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેના જણાવ્યા અનુસાર ગાય પૂજન તા.23 ને શુક્રવારે સવારે 10.40 સુધીમાં પૂજન કરી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાયને માત્ર ધાર્મિક દ્રષ્ટિથી ન જોતા તેમને આર્થિક દર્ષ્ટીથી પણ જોવી પડશે.ગાયો માત્ર દાન ના પૈસાથી નહિ બચે.લોકોએ વધુને વધુ ગાયના ઘી, માખણ, દૂધ દહીંનો ઉપયોગ કરતા થાય અને આ રીતે ગાયની ઉપયોગીતા વધે.ગાયનું દૂધ પીવાથી બાળકોની બુદ્ધિ સતેજ બને છે.આરોગ્યની દ્રષ્ટિએ પાચન માટે પણ હિતકારી છે.વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે ગાયનું દૂધ સર્વ શ્રેષ્ઠ છે.ગાય અને ગૌવંશનું સંરક્ષણ અને સંવર્ધન થાયએ ખાસ જરૂરી છે.गावो विश्वश्य मातर:l એ અનુસાર ગાયએ આપણા સૌની માતા છે.ગાયના આધારે જ મનુષ્યનું જીવન ચાલે છે.ભગવાન શ્રી કૃષ્ણના  ગીતાજીના ઉપદેશ અનુસાર घेनू नाम अस्मी काम धुक: એટલે કે પશુઓમાં હું કામધેનુ ગાય છું. આમ ધાર્મિક, આર્થિક, આરોગ્ય અને વૈજ્ઞાનિક દર્ષ્ટીએ ગાયનું ખૂબ મહત્વ રહેલું છે.તેમ શાસ્ત્રીજી  કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે (ભાગવતાચાર્ય ,જયોતિષાચાર્ય ) મો.8000911444






Latest News