માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક ચા પીવા માટે જઈ રહેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી મોત


SHARE

















મોરબી નજીક ચા પીવા માટે જઈ રહેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી મોત

મોરબી તાલુકાના નવાગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ચાલીને ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને બેભાન થઈ જતા 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નવાગામ પાસે આવેલ આજવિટો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઈશ્વરલાલ રણછોડભાઈ નિનામા (44) નામનો યુવાન સવારે કારખાનાની બહારના ભાગમાં આવેલ ચા ની કીટલીએ ચા પીવા માટે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક 108 ને બોલાવીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના દીકરા વિશાલભાઈ ઈશ્વરલાલ નિનામા (24)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પીધી

મોરબીના રવાપર ગામ નજીક આવેલ રાજા મિનરલ વોટરની પાછળના ભાગમાં તેજાણીની વાડીમાં રહેતા આંબાલાલ મોહનભાઈ પરમાર (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જે બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News