ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર
મોરબીના વાંકાનેરમાં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
SHARE
મોરબીના વાંકાનેરમાં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે હિંદુઓ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હોય ત્યારે એક વિધર્મી ઇસમેં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન વિશે અભદ્ર ટીપ્પણી કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના રહેવાસી યશ જયેશભાઈ ભીમાણીએ આરોપી અનવર હુશેન જાહિદ ગાલીબ રહે ગુલશન પાર્ક ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે વિધર્મી ઇસમેં પોતાના annox7_ ઈન્સટાગ્રામ આઈડી માંથી ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે બીભત્સ ગાળો લખી અભદ્ર ટીપ્પણી કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હિંદુ સમાજની લાગણી દુભાવી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
વાંકાનેરના નવાપરામાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતા અજય ગોવિંદ વિંજવાડિયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૨૬ ના રોજ સાંજના સુમારે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.