હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે


SHARE













મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે

મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે.જે ત્રણેય માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે મિનિ વેકેશન જાહેર કરીને તમામ કામ બંધ કરવામાં આવ્યું હતુ અને તા.30 થી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.જે હાલના માહોલના પગલે બંધ રાખવામાં આવે છે અને આગામી તા.2 ને સોમવારથી રાબેતા મુજબ ધમધમશે તેમ જાણવા મળેલ છે.

એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા.24 થી 29 ઓગસ્ટ સુધી મોરબી જીલ્લામાં આવેલા મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તા.30 થી યાર્ડમાં હરાજી સહિતનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું યાર્ડના સતાધીશોએ જાહેર કર્યું હતું.જોકે હાલમાં વરસાદી માહોલના પગલે અને આગાહીના પગલે ખેડુતોની ઝણસ બગડે નહીં અને રસ્તાઓ ખરાબ હોય મુશ્કેલી સર્જાય નહીં તે હેતુથી મોરબી માર્કેટિંગ યાર્ડ તરફથી નિર્ણય જાહેર કરાયો છે કે યાર્ડ હવે તા. 2 ને સોમવારથી શરૂ થશે.જોકે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તહેવાર નિમિત્તે રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી હતી અને હવે તા.2 ને સોમવારના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.તે રીતે જ વાંકાનેર યાર્ડમાં પણ તા.29 સુધી રજા જાહેર કરવામાં આવી હતી.પરંતુ હાલ વરસાદી માહોલ અને વરસાદની આગાહીના પગલે વાંકાનેર યાર્ડના સત્તાધીશો દ્વારા શનિવાર સુધી રજા જાહેર કરી દેવાઈ છે અને વાંકાનેર યાર્ડ પણ હવે તા. 2 ને સોમવારના રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

 






Latest News