મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા


SHARE













મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા

મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી ત્યારથી ત્યાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી ન હતી જો કે, મોરબી પાલિકામાં હાલમાં ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે.

ઝૂલતા પુલની દુર્ઘટના પછી મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ ન હતા જો કે, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી રૂટિન કામ કરવામાં આવતું હતું જો કે, પાલિકાને લગતા પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વધવા લાગ્યા હતા તેવામાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી ડેપ્યુટી કલેકટર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીની ફરજ બજાવતા કુલદીપસિંહ વાળાને મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે જેથી કરીને હવે લોકોની સુખકારીમાં વધારો થયા અને પ્રશ્નોનો  સમયસર નિકાલ કરવામાં આવે તેવી આશા લોકોને જાગી છે. 








Latest News