રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા


SHARE









મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આગ લાગતાં ખેડૂતોનો હજારો મણ કપાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા બનાવ્યા સહિતના આગેવાનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજારો મણ કપાસ આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને કહેવા પ્રમાણે લગભગ ૧૨,૦૦૦ પણ કરતા વધુનો કપાસનો જથ્થો આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો પાસેથી યાર્ડમાં જે નુકસાન થયેલ છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ આગામી સમયમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવેલ છે






Latest News