મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા


SHARE

















મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આગ લાગતાં ખેડૂતોનો હજારો મણ કપાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા બનાવ્યા સહિતના આગેવાનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હજારો મણ કપાસ આગમાં બળીને ખાખ થઇ ગયો છે અને ખેડૂતોને કહેવા પ્રમાણે લગભગ ૧૨,૦૦૦ પણ કરતા વધુનો કપાસનો જથ્થો આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તાત્કાલિક મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો પાસેથી યાર્ડમાં જે નુકસાન થયેલ છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ આગામી સમયમાં ખેડૂતોને તાત્કાલિક અસરથી વળતર મળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવેલ છે




Latest News