હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ


SHARE













મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ

મોરબીના જુદાજુદા સ્થળ ઉપર ગણેશોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજાના આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ કાર દેવામાં આવી છે.

મોરબીમાં રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કુલની બાજુમા, રવાપર ધૂનડા રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને તા ૧૭ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દર્શનનો સમય સાજે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી રાખવામા આવેલ છે. અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પટેલ ગ્રૂપ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

આવી જ રીતે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર કસ્તુરી હાઇટ્સની બાજુમાં મોરબીના યુવા વૃંદ દ્વારા મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ ના રોજ કરવામાં આવશે અને તા ૧૬ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપેલ છે.






Latest News