મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત


SHARE











મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબીના હળવદ રોડ પર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનની પત્નીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે. મૃતક મહિલાનો લગ્નગાળો માત્ર ત્રણ મહિનો હોય, ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના હળવદ રોડ પર નીચીમાંડલ ખાતે આવેલ વેટીકન સિરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા બસંતીબેન મુનસીભાઇ ગુંદીયા (ઉ.વ.રર) એ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ લઇને આવ્યા હતા અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો ત્રણ મહિનો હોય, તેને કયાં કારણોસર અંતિમ પગલુ ભર્યુ છે તે દિશામાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.






Latest News