મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે સગીરા અને આરોપી બને મેમદાવાદ ખાતે હોવાની મોરબી તાલુકા પોલીસને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જઈને અગાઉ સગીરાને કબજામાં લીધી હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતાને મજૂરી કામ કરતાં પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેવામાં આરોપી અને સગીરા બંને ખેડા જિલ્લાના મેમદાવાદ ખાતે હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને સ્થળ ઉપરથી સગીરાને કબજામાં લીધી હતી અને આરોપી સુરેશગીરી સુખદેવગીરી ગોસાઈ જાતે બાબાજી (23) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને જે હાલમાં રિમાન્ડ ઉપર છે અને પોલીસ દ્વારા અપહરણના આ ગુનામાં આરોપી મહેશ ઉર્ફે  રવિ વસંતપુરી ગોસાઈ જાતે બાબાજી (20) અને લાલજી તળશીભાઈ દેગામા જાતે કોળી (24) રહે. ભારતનગર સર્કિટ હાઉસની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

માર માર્યો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ મોતીભાઈ ગોસિયા (28) નામના યુવાનને તેના સાળાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News