મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની  ભાવભીની વિદાય

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ ત્યાં આરતીનો લાભ લીધેલ હતી અને ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી 11:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સત્યનારાયણ કથા, ૫૬ ભોગ અન્નકૂટ, ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. ત્યારે ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, કલેક્ટર કિરણ ઝવેરી સહિતના હાજર રહ્યા હતા અને પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને વિદાઇ આપી હતી. કાર્યને સફળ બનાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ કોલેજના ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News