મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની ભાવભીની વિદાય
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું વિસર્જન: ગણપતિ મહારાજની ભાવભીની વિદાય
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી-માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ ત્યાં આરતીનો લાભ લીધેલ હતી અને ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ રાત્રે ૯ થી 11:૩૦ ચિત્રા ધૂન મંડળ ના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સત્યનારાયણ કથા, ૫૬ ભોગ અન્નકૂટ, ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. ત્યારે ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, કલેક્ટર કિરણ ઝવેરી સહિતના હાજર રહ્યા હતા અને પાચમાં દિવસે સવારે આરતી બાદ બપોરે કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને વિદાઇ આપી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેજા હેઠળ કોલેજના ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના વિધાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી









