ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર મોરબીમાં સત્સંગ સભાથી સ્ત્રી સશક્તિકરણનું જ્ઞાન આપી પિતાએ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવ્યો મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાં ટ્રાન્સપોટ ઉદ્યોગ ઠપ્પ: નેશનલ હાઇવે સૂમસામ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા


SHARE













મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા

મોરબીમાં હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિની, હિન્દુ જાગરણ મંચ, અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન l પરિષદ-દિલ્હી, જય મહાકાલ ગ્રુપના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ બહેનો સિદ્ધિવિનાયક કા રાજા અને હાઉસિંગ બોર્ડ કા રાજા બંને ગણપતિ મહોત્સવમાં આરતીમા હાજર રહયા હતા અને ગણપતિ દાદાના દર્શન પૂજનનો લાભ લીધો હતો. અને હિન્દુ સમાજને જાગૃત કરવાના અનુસંધાને સંગઠન દ્વારા દરેક પંડાલમાં જઈને યોગ્ય રીતે હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા. જેમ કે. ઇસ્લામિક બોર્ડ નાબૂદ કરવા માટે લિંકમાં મેલ કરવા અને આપની સંપત્તિને કેવી રીતે બચાવવી શકાય છે તેની માહિત પણ આપી હતી વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, હિન્દુ સમાજ એકત્રિત ન હતો ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ગણપતિની પહેલી સ્થાપના કરીને સનાતનની હિંદુ ભાઈઓ બહેનોને એકત્રિત કરીને રાષ્ટ્રહિત માટેનું કાર્ય શરૂ કર્યું હતું. અને હાલમાં પણ મોરબીમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ અને બહેનો દ્વારા હિન્દુ સમાજને એકત્રિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વિતરણ વ્યવસ્થા ગોઠવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વેચાણ /વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલ છે અને ભારત વર્ષના મહાન નારી રત્ન, સન્નારીઓ, મહા માનવો જેના જીવન થકી પ્રેરણા મળે, સંસ્કૃતિનું જતન થાય તેવા નાના પુસ્તકનો સેટ બનાવેલ છે. અને ૮ પુસ્તકનો સેટ ૧૦૦ રૂપિયા, ૪ પુસ્તકનો સેટ ૫૦ રૂપિયામાં મળી શકશે. અને ગરબીમાં બાળાઓને લહાણી માટે, શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આ નવદુર્ગા સેટ ઉત્તમ પથ દર્શક બની રહેશે. જેથી કરીને આ અંગેની વધુ માહિતી તથા પુસ્તક સેટ માટે મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઈ બદ્રકીયા (૯૮૨૫૪૨૧૦૩૧)નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News