વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા


SHARE











મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા

મોરબીમાં હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિની, હિન્દુ જાગરણ મંચ, અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન l પરિષદ-દિલ્હી, જય મહાકાલ ગ્રુપના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ બહેનો સિદ્ધિવિનાયક કા રાજા અને હાઉસિંગ બોર્ડ કા રાજા બંને ગણપતિ મહોત્સવમાં આરતીમા હાજર રહયા હતા અને ગણપતિ દાદાના દર્શન પૂજનનો લાભ લીધો હતો. અને હિન્દુ સમાજને જાગૃત કરવાના અનુસંધાને સંગઠન દ્વારા દરેક પંડાલમાં જઈને યોગ્ય રીતે હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા. જેમ કે. ઇસ્લામિક બોર્ડ નાબૂદ કરવા માટે લિંકમાં મેલ કરવા અને આપની સંપત્તિને કેવી રીતે બચાવવી શકાય છે તેની માહિત પણ આપી હતી વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, હિન્દુ સમાજ એકત્રિત ન હતો ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ગણપતિની પહેલી સ્થાપના કરીને સનાતનની હિંદુ ભાઈઓ બહેનોને એકત્રિત કરીને રાષ્ટ્રહિત માટેનું કાર્ય શરૂ કર્યું હતું. અને હાલમાં પણ મોરબીમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ અને બહેનો દ્વારા હિન્દુ સમાજને એકત્રિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વિતરણ વ્યવસ્થા ગોઠવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વેચાણ /વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલ છે અને ભારત વર્ષના મહાન નારી રત્ન, સન્નારીઓ, મહા માનવો જેના જીવન થકી પ્રેરણા મળે, સંસ્કૃતિનું જતન થાય તેવા નાના પુસ્તકનો સેટ બનાવેલ છે. અને ૮ પુસ્તકનો સેટ ૧૦૦ રૂપિયા, ૪ પુસ્તકનો સેટ ૫૦ રૂપિયામાં મળી શકશે. અને ગરબીમાં બાળાઓને લહાણી માટે, શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આ નવદુર્ગા સેટ ઉત્તમ પથ દર્શક બની રહેશે. જેથી કરીને આ અંગેની વધુ માહિતી તથા પુસ્તક સેટ માટે મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઈ બદ્રકીયા (૯૮૨૫૪૨૧૦૩૧)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News