મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૧ વર્ષ માટે આયુષ હોસ્પિટલ ભુજના સહયોગે સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રેરિત આયુષ સંજીવની રથનો પ્રારંભ


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૧ વર્ષ માટે આયુષ હોસ્પિટલ ભુજના સહયોગે સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રેરિત આયુષ સંજીવની રથનો પ્રારંભ

ભારત ને દુનિયામાં આગવી ઓળખ આપનાર ઉર્જા ના અપાર સ્ત્રોત યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ૭૩ વર્ષ સફળતા અને સંઘર્ષ સાથે સૌહાદય પુર્ણ પુરા કરી તા ૧૭/૯ ના ૭૪ વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દીર્ઘાયુ અને સ્વસ્થતા માટે શુભેચ્છા પાઠવતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ના પ્રેરણા થી આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ સંજીવની રથનો સવારે ૯ વાગ્યે પ્રારંભ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૪૦૦ ગામોમાં વર્ષ દરમ્યાન ભાજપા, જીલ્લા પંચાયત કચ્છ, વિવિધ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દોઢ લાખ થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાનો આયુષ હોસ્પિટલ દ્વારા અને સાંસદશ્રી નો પ્રેરણા અને સહકાર દ્વારા શરૂ થશે આ માટે અંતરિયાળ છેવાડા ના ગામો થી નજીકના ગામો શહેરો માં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ ની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે. અને સાંજે ૫ વાગ્યે રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવશે મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવશે.






Latest News