મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૧ વર્ષ માટે આયુષ હોસ્પિટલ ભુજના સહયોગે સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રેરિત આયુષ સંજીવની રથનો પ્રારંભ


SHARE







વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૧ વર્ષ માટે આયુષ હોસ્પિટલ ભુજના સહયોગે સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રેરિત આયુષ સંજીવની રથનો પ્રારંભ

ભારત ને દુનિયામાં આગવી ઓળખ આપનાર ઉર્જા ના અપાર સ્ત્રોત યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ૭૩ વર્ષ સફળતા અને સંઘર્ષ સાથે સૌહાદય પુર્ણ પુરા કરી તા ૧૭/૯ ના ૭૪ વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દીર્ઘાયુ અને સ્વસ્થતા માટે શુભેચ્છા પાઠવતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ના પ્રેરણા થી આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ સંજીવની રથનો સવારે ૯ વાગ્યે પ્રારંભ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૪૦૦ ગામોમાં વર્ષ દરમ્યાન ભાજપા, જીલ્લા પંચાયત કચ્છ, વિવિધ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા દોઢ લાખ થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવાનો આયુષ હોસ્પિટલ દ્વારા અને સાંસદશ્રી નો પ્રેરણા અને સહકાર દ્વારા શરૂ થશે આ માટે અંતરિયાળ છેવાડા ના ગામો થી નજીકના ગામો શહેરો માં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ ની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે. અને સાંજે ૫ વાગ્યે રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવશે મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવશે.






Latest News