મોરબીની હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે
SHARE
વિરપુર (જલારામ ધામ) ખાતે યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે
વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ જોડાશે અને તેઓ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને લોહાણા મહાજન સહીતની સંસ્થાઓના હોદેદારો રઘુવંશી મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં જોડાશે તેવું મોરબીના આગેવાનોએ જણાવ્યુ છે.
અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરપુર (જલારામ ધામ) ખાતે આગામી તા.૨૯-૯-૨૦૨૪ રવિવારના રોજ સંસ્થાના નવનિર્વાચિત અધ્યક્ષ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત રઘુવંશી સમાજના મહાસંમેલનનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્ર્સ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીતની લોહાણા સમાજની સંસ્થા દ્વારા આ મહાસંમેલનમાં જોડાવવા સમસ્ત લોહાણા સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી તા.૨૯-૯ રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા મહાસંમેલનમાં જવા પ્રસ્થાન કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા મહાસંમેલનમાં જવા માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ થી નામ નોંધાવવું આવશ્યક હોય નામ નોંધાવવા માટે નરેન્દ્રભાઈ રાચ્છ(મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી, ૯૯૨૫૯ ૮૫૩૯૪) તથા કીશોરભાઈ ઘેલાણી (૯૪૨૮૨ ૮૦૧૭૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને જે લોકો પર્સનલ કારથી મહાસંમેલનમાં જોડાવવાના હોય તેમણે પ્રતાપભાઈ ચગ (૯૮૨૫૮૨૭૭૭0), પારસભાઈ ચગ (૯૦૩૩૦૦૭૮૯0)તથા સચિનભાઈ કાનાબાર (૯૭૨૬૧૨૨૦૦9)નો સંપર્ક કરવા લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે. તેમ નિર્મિત કક્કડ (કન્વીનર, લોહાણા મહાજન –મોરબી)એ જણાવ્યુ છે.