મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો
મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ
SHARE
મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ
મોરબી જિલ્લામાં જળાશયોમાં વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે તેવામાં જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયેલ છે જેથી ડેમમાં આવેલ પાણીને આજે સવારથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની આવકના કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પર પાણી આવી ગયું છે જેથી લોકોના જાનમાલની સલામતી માટે તાત્કાલિક અસરથી કોઝવેને વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
મોરબીના જીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ગત શુક્રવારે પડેલા વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો અને ત્યારબાદ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું જેથી કરીને કોઝવે ઉપર પાણી આવી જવાના કારણે તેને બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાણીની આવક ઘટતા કોઝ વે ઉપરથી પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો જેથી કરીને તેને પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો જો કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાધ્રોઈ ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા આજે સવારે 4:00 વાગ્યેથી ડેમના બે દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 2394 કયુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરવામાં આવી છે. જેથી કોઝવે ઉપર પાણી ફરી પાછું આવી ગયું છે માટે કોઝવેને વાહનો તેમજ લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી જણાવ્યુ હતુ કે, પાણી છોડતા પહેલા મોરબી તાલુકાના જીવાપર, જિકિયારી, જસમતગઢ, શાપર, જેતપર, રાપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા