મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાશે
SHARE
મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાશે
પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા ૨૭/૯ ને શુક્રવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ: શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
આ ટીપા નાના બાળકો જેમાં ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને પીવડાવવા માટે તા ૨૭ ને શુક્રવારનાં રોજ મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને લાવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપવાના છે આ ટીપાં માટે વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે બાળકોને લઈને આવવાનું છે અને સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ત્યાં ટીપાં આપવામાં આવશે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.