મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબી નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ નજીકથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ અજાણી કારના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્કમાં રહેતા ધીરજભાઈ છગનભાઈ નાગડુકિયા (58)એ અજાણી કારના ચાલક સામે ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ફર્ન હોટલ પાસેથી તેમનો દીકરો અશ્વિનભાઈ ધીરજભાઈ નાગડુકિયા (28) પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 8060 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત કરીને કાર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જો કે અકસ્માતના બનાવમાં ફરિયાદીના દીકરા અશ્વિનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ અશ્વિનભાઈ નાગડુકિયા સિરામિકમાં કામકાજ કરતો હતો અને વાહન અકસ્માતમાં તેનું મોત નિપજતા તેની એક દીકરી છે જેને પિતાની છત્રછાંયા ગુમાવી છે.








Latest News