મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય


SHARE













વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની હનુમાન શેરીમાં આવેલ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસનાં દિવસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય રહેલું હોય આજ ધનતેરસના દિવસે વેપારીઓ તેમજ શહેરીજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

વાંકાનેરનાં આ મંદિરમાં "માગધી લિપિ" માં લખેલો શિલાલેખ મળી આવેલ છે.જે લિપિનું આશરે ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું.આથી આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું મનાય છે.આથી આ મંદિર વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે.ધન તેરસ તથા દિવાળીનાં દિવસે ચોપડા પૂજન બાદ પૂજન કરેલ પડો, સાકર જેવી ચીજ વસ્તુઓ વેપારીઓ અહીં અર્પણ કરે છે.જે વર્ષો જુની પરંપરા છે. આજે ધનતેરસ નિમિતે પણ દુકાનો અને ઘરમાં ધનની પૂજન વિધિ કરી વેપારીઓ શહેરીજનો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.સ્વ.નટુભાઈ દવેએ દાતાઓનાં સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં સેવા આપી હતી.હાલ લાભૂબેન ગોસ્વામી આ મંદિરમાં પૂજન આરતી સહિતનું સેવા સંચાલન સંભાળી રહ્યા છે.






Latest News