રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય


SHARE









વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની હનુમાન શેરીમાં આવેલ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસનાં દિવસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય રહેલું હોય આજ ધનતેરસના દિવસે વેપારીઓ તેમજ શહેરીજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

વાંકાનેરનાં આ મંદિરમાં "માગધી લિપિ" માં લખેલો શિલાલેખ મળી આવેલ છે.જે લિપિનું આશરે ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું.આથી આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું મનાય છે.આથી આ મંદિર વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે.ધન તેરસ તથા દિવાળીનાં દિવસે ચોપડા પૂજન બાદ પૂજન કરેલ પડો, સાકર જેવી ચીજ વસ્તુઓ વેપારીઓ અહીં અર્પણ કરે છે.જે વર્ષો જુની પરંપરા છે. આજે ધનતેરસ નિમિતે પણ દુકાનો અને ઘરમાં ધનની પૂજન વિધિ કરી વેપારીઓ શહેરીજનો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.સ્વ.નટુભાઈ દવેએ દાતાઓનાં સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં સેવા આપી હતી.હાલ લાભૂબેન ગોસ્વામી આ મંદિરમાં પૂજન આરતી સહિતનું સેવા સંચાલન સંભાળી રહ્યા છે.






Latest News