માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય


SHARE

















વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની હનુમાન શેરીમાં આવેલ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસનાં દિવસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય રહેલું હોય આજ ધનતેરસના દિવસે વેપારીઓ તેમજ શહેરીજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

વાંકાનેરનાં આ મંદિરમાં "માગધી લિપિ" માં લખેલો શિલાલેખ મળી આવેલ છે.જે લિપિનું આશરે ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું.આથી આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું મનાય છે.આથી આ મંદિર વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે.ધન તેરસ તથા દિવાળીનાં દિવસે ચોપડા પૂજન બાદ પૂજન કરેલ પડો, સાકર જેવી ચીજ વસ્તુઓ વેપારીઓ અહીં અર્પણ કરે છે.જે વર્ષો જુની પરંપરા છે. આજે ધનતેરસ નિમિતે પણ દુકાનો અને ઘરમાં ધનની પૂજન વિધિ કરી વેપારીઓ શહેરીજનો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.સ્વ.નટુભાઈ દવેએ દાતાઓનાં સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં સેવા આપી હતી.હાલ લાભૂબેન ગોસ્વામી આ મંદિરમાં પૂજન આરતી સહિતનું સેવા સંચાલન સંભાળી રહ્યા છે.




Latest News