મોરબી નજીક 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલવરી કરાવી
મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
SHARE








મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે અને શનાળા શક્તિ માતાજીનાં મંદિરે રેલી પૂરી કરવામાં આવશે અન એ ત્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે.
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.12 ને શનિવારના રોજ વિજયા દશમીએ બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી શનાળા શક્તિ માતાજીનાં મંદિરે રેલીને પૂરી કરવામાં આવશે અને આ રેલીમાં ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે તેવુ આગેવાને જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

