મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો


SHARE















મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ડોક્ટર મહિલાએ તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના બહેન ડોક્ટર હતા અને તેના લગ્ન પણ ડોક્ટર સાથે જ કરાવ્યા હતા જો કે, તેના જમાઈ ઘર ચલાવવા પૈસા આપતા ન હતા અને ફરિયાદીને બહેનને  દુઃખ ત્રાસ આપતા હતા જેથી તેને આપઘાત કર્યો હતો જે બનાવમાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈ (26) એ તેમના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા રહે.સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર તા.મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 9/8/2024 ના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને તેના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કેમ કે, તેની બહેનને તેના બનેવી જે ડોક્ટર છે તેના દ્વારા ઘર ચલાવવા માટે પૈસા આપવામાં આવતા ન હતા અને ઘરેણાં પણ પહેરવા ન આપીને દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીની બહેને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ લઇને તેના બનેવીની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News