મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ


SHARE















માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અગાઉ નોંધાયેલ ફરિયાદમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી તે બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે સામાપક્ષેથી પણ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે મૃતક સહિત બે વ્યક્તિની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા અરુણભાઈ અવચરભાઈ ઇન્દરિયા (22) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઇ મોહનભાઈ રાઠોડ રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના ઘરની બહાર શેરીમાં પાણી નીકળતું હતું જે બાબતે આરોપીઓને કહેતા તે તેને સારું લાગ્યું ન હતું અને ચંદુભાઈ મકવાણાએ લાકડી વડે સાહેદ સુરેશભાઈને માથાના ભાગે માર મારીને ફૂટ જેવી ઇજા કરી હતી તથા મહાદેવભાઇ રાઠોડે લાકડી વડે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીઓમાં તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખીએ છે કે હાલમાં જે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના ચંદુભાઈ છગનભાઈ મકવાણાનું ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને ચંદુભાઈના પત્નીએ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News