મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ


SHARE









માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અગાઉ નોંધાયેલ ફરિયાદમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી તે બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે સામાપક્ષેથી પણ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે મૃતક સહિત બે વ્યક્તિની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા અરુણભાઈ અવચરભાઈ ઇન્દરિયા (22) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઇ મોહનભાઈ રાઠોડ રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના ઘરની બહાર શેરીમાં પાણી નીકળતું હતું જે બાબતે આરોપીઓને કહેતા તે તેને સારું લાગ્યું ન હતું અને ચંદુભાઈ મકવાણાએ લાકડી વડે સાહેદ સુરેશભાઈને માથાના ભાગે માર મારીને ફૂટ જેવી ઇજા કરી હતી તથા મહાદેવભાઇ રાઠોડે લાકડી વડે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીઓમાં તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખીએ છે કે હાલમાં જે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના ચંદુભાઈ છગનભાઈ મકવાણાનું ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને ચંદુભાઈના પત્નીએ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News