મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ


SHARE













માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અગાઉ નોંધાયેલ ફરિયાદમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી તે બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે સામાપક્ષેથી પણ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે મૃતક સહિત બે વ્યક્તિની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા અરુણભાઈ અવચરભાઈ ઇન્દરિયા (22) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઇ મોહનભાઈ રાઠોડ રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના ઘરની બહાર શેરીમાં પાણી નીકળતું હતું જે બાબતે આરોપીઓને કહેતા તે તેને સારું લાગ્યું ન હતું અને ચંદુભાઈ મકવાણાએ લાકડી વડે સાહેદ સુરેશભાઈને માથાના ભાગે માર મારીને ફૂટ જેવી ઇજા કરી હતી તથા મહાદેવભાઇ રાઠોડે લાકડી વડે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીઓમાં તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખીએ છે કે હાલમાં જે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના ચંદુભાઈ છગનભાઈ મકવાણાનું ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને ચંદુભાઈના પત્નીએ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News