વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ


SHARE











માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી ઢોળાવ બાબતે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અગાઉ નોંધાયેલ ફરિયાદમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી તે બનાવ હત્યામાં પલટાયો છે જ્યારે સામાપક્ષેથી પણ મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે મૃતક સહિત બે વ્યક્તિની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા અરુણભાઈ અવચરભાઈ ઇન્દરિયા (22) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઇ મોહનભાઈ રાઠોડ રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના ઘરની બહાર શેરીમાં પાણી નીકળતું હતું જે બાબતે આરોપીઓને કહેતા તે તેને સારું લાગ્યું ન હતું અને ચંદુભાઈ મકવાણાએ લાકડી વડે સાહેદ સુરેશભાઈને માથાના ભાગે માર મારીને ફૂટ જેવી ઇજા કરી હતી તથા મહાદેવભાઇ રાઠોડે લાકડી વડે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીઓમાં તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખીએ છે કે હાલમાં જે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના ચંદુભાઈ છગનભાઈ મકવાણાનું ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને ચંદુભાઈના પત્નીએ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News