હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE















મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે દશેરાના દિવસે મોરબીમાં વાંકાનેર દરવાજા પાછળ રામઘાટ નજીક આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, દવે પંચોલી વિદ્યાર્થી ભુવનના પ્રમુખ કાંતિભાઈ ઠાકર, ભોજનશાળાના પ્રમુખ મયુરભાઈ શુકલ, શાસ્ત્રી વિપુલભાઈ શુકલ, વિદ્યોતેજક મંડળના મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેજી થી લઈને કોલેજ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મનોજભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News