મોરબી નજીક ગોડાઉનમાં ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત
ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી
SHARE








ધ્રાંગધ્રાના કુડા પાસે 17 દિવસ પહેલા કેનાલમાં ડૂબી ગયેલ યુવાનની લાશ હળવદના માલણીયાદ પાસે નર્મદાની કેનાલમાંથી મળી
હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા મુકેશભાઈ ગોરધનભાઈ સજાણી (32) નામનો યુવાન આશરે 17 દિવસ પહેલા કુડા જસમતપર ગામની વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીમાં કોઈપણ કારણોસર તણાઈ ગયો હતો અને તે યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અશોકભાઈ ગોરધનભાઈ સજાણી (27) રહે. રાજપર તાલુકો ધાંગધ્રા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

