મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપનારા વધુ 6 સામે કાર્યવાહી
મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી
SHARE








મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોલો સિરામિકના લેબર ક્વાર્ટરની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને તે મહિલાનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક મહિલાને વતનમાં જવું હતું અને પતિએ દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાસબેન વનરાજભાઈ ચૌહાણ (26) નામની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ વનરાજભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો છે અને તેને બે સંતાન છે મૃતક મહિલાને વતનમાં જવું હતું અને તેના પતિએ તેને દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું તે બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.

