મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો
મોરબીના પ્લેટિનમ પાર્ટી પ્લોટમાં પાટીદાર સમાજ માટે શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું આયોજન: ઠેર ઠેર જુદાજુદા જ્ઞાતિ સમાજ માટે આયોજન
SHARE








મોરબીના પ્લેટિનમ પાર્ટી પ્લોટમાં પાટીદાર સમાજ માટે શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું આયોજન: ઠેર ઠેર જુદાજુદા જ્ઞાતિ સમાજ માટે આયોજન
મોરબીમાં જુદાજુદા સ્થળે શરદ પૂનમની રાતે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ અને ગોસ્વામી સમાજના લોકો માટે રાસ ગરબાના આયોજન કરાયેલ છે
મોરબીના રવાપર ગામથી આગળના ભગ આવેલ પ્લેટિનમ પાર્ટી પ્લોટ ખાતે ઉમા શરદ પૂર્ણિમા રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા. 17 ને ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યાથી ઉમા શરદ પૂર્ણિમા રાસ ઉત્સવ શરૂ કરવામાં આવશે જેમાં કલાકાર અપેક્ષા પંડ્યા, નીરવ રાયચુરા અને દિવ્યા વેગડા સિંગર તરીકે આવશે અને તેના સુરે ખેલૈયાઓ રાસ ગરબા રમશે. આ કાર્યક્રમ માટે આયોજકોને 60 થી વધારે સ્પોનસર દ્વારા સહકાર આપવામાં આવેલ છે અને આ માત્ર પાટીદારો માટેનું જ આયોજન છે અને આ કાર્યક્રમ થકી જે રકમ વધશે તેનો સેવાકીય કામમાં ઉપયોગ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે આ રસોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ચાડમિયા (ઉપસરપંચ રવાપર), ભરતભાઈ ભોરણિયા, કૌશિકભાઈ બારૈયા, સુરેશભાઈ મકાસણા, ભૌતિકભાઈ હળવદિયા, પિયુષભાઈ ભોરણિયા, કેવલભાઈ ચાડમિયા, ઋત્વિકભાઈ ચાડમિયા અને વૈભવ ચાડમિયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
પરશુરામ યુવા ગ્રુપ
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા 17/10 ના રોજ બ્રહ્મ પરિવારો માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ જયદીપ પ્રશાંતભાઈ મહેતાએ જણાવ્યુ હતું કે, લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં રહેતા બ્રહ્મ પરિવારનોએ આવવા માટે આહ્વાન કર્યું છે અને તા 17 ના રોજ રાતે 9:00 કલાકે રસોત્સવ શરૂ કરવામાં આવશે.
દશનામ ગોસ્વામી યુવક મંડળ
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા શરદપુનમ નિમિતે રાસ ગરબાનું આયોજન તા 19.10 ના રોજ રાત્રે 8 થી 12 સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે આ રાસ ગરબામાં મોરબી ગોસ્વામી સમાજના જાણીતા ભજનિક-કલાકાર રીટા ગોસ્વામી સહિતની જમાવટ કરશે ત્યારે મોરબી શહેર અને તાલુકામાંથી ગોસ્વામી સમાજના લોકોને આવવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે. અને ખાસ કરીને ટ્રેડીશનલ ડ્રેસમાં જે ખેલૈયા આવશે તેને ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
વરિયા પ્રજાપતિએ સમાજ
વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનું શરદ પૂનમની રાત્રિના આયોજન કરવામાં આવ્યું છે. અને શરદ પૂનમની રાત્રિના તા. 16 ને બુધવારે રાત્રે 9:30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. આ "શરદોત્સવ 2024"માં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
રોયલ રાસોત્સવ-૨૦૨૪
મોરબીના રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ-૨૦૨૪″ નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તા 16/10 બુધવારને શરદ પૂનમનાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં કલાકાર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીતનાં કો-સિંગર દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. જેથી કરીને આજે સાંજે 7 વાગ્યે સમાજને લોકોને આવવા માટે આમંત્રણ આપેલ છે અને રાત્રિનાં 9:00 થી ગરબા શરૂ થશે.
સત્યનારાયણ ગૌશાળા
મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમના મહંત નિરંજન દાસજી મહારાજે જણાવ્યુ છે કે, તા 16/10 ને બુધવારે શરદ પૂર્ણિમાના દિવસે ઉમિયા આશ્રમમાં વિવિધ આયોજન છે જેમાં સાંજ 4 થી 6 કલાક સુધી આનંદના ગરબાનુ આયોજન, સુંદર કાંડ આનંદના ગરબા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલ, 6 વાગ્યે શસ્ત્ર પૂજન, ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આરતી 6:45 વાગ્યે કરવામાં આવશે અને ધાર્મિક સ્થળે 7:00 વાગ્યે ઉમિયા આશ્રમમાં મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા ભક્તોને આમંત્રણ આપવામાં આવેલ છે

