મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આડે યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને શરીર કપાઈ જવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રેલ્વેના સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી વિપુલભાઈ મગનભાઈ કાચરોલા (47) નામના યુવાને મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના શરીર ઉપરથી રેલ્વે ટ્રેન ફરી જતા કમરના ભાગથી શરીર કપાઈ ગયું હતું અને આ યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રફાળેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સ્થળ કિશનભાઇ રાયમલભાઈ રાઠોડ (30) રહે. સનાળા રોડ વૈભવ નગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને યુવાને કરેલા આપઘાતના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News