મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો


SHARE















મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આડે યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને શરીર કપાઈ જવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રેલ્વેના સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી વિપુલભાઈ મગનભાઈ કાચરોલા (47) નામના યુવાને મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના શરીર ઉપરથી રેલ્વે ટ્રેન ફરી જતા કમરના ભાગથી શરીર કપાઈ ગયું હતું અને આ યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રફાળેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સ્થળ કિશનભાઇ રાયમલભાઈ રાઠોડ (30) રહે. સનાળા રોડ વૈભવ નગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને યુવાને કરેલા આપઘાતના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News