મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે મારમાર્યો: ધ્યાનથી મારી નાખવાની ધમકી મોરબીના સનાળા ગામ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈને કચડી નાખતા અજાણ્યા યુવાનનું મોત મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે મોરબી એલસીબી-એ ડિવિઝન પોલીસે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આડે યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને શરીર કપાઈ જવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રેલ્વેના સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી વિપુલભાઈ મગનભાઈ કાચરોલા (47) નામના યુવાને મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના શરીર ઉપરથી રેલ્વે ટ્રેન ફરી જતા કમરના ભાગથી શરીર કપાઈ ગયું હતું અને આ યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રફાળેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સ્થળ કિશનભાઇ રાયમલભાઈ રાઠોડ (30) રહે. સનાળા રોડ વૈભવ નગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને યુવાને કરેલા આપઘાતના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


Latest News