મોરબીમાં દારૂ-વ્યાજ વટાવના ગુનામાં અનેક વખત પકડાયેલા બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરાયા
મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો
SHARE








મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન આડે પડતું મૂકીને વેપારી યુવાને જીવનનો અંત આણ્યો
મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની આડે યુવાને પડતું મૂક્યું હતું જેથી કરીને શરીર કપાઈ જવાથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની રેલ્વેના સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા મૂળ ગાળા ગામના રહેવાસી વિપુલભાઈ મગનભાઈ કાચરોલા (47) નામના યુવાને મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના શરીર ઉપરથી રેલ્વે ટ્રેન ફરી જતા કમરના ભાગથી શરીર કપાઈ ગયું હતું અને આ યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રફાળેશ્વર રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સ્થળ કિશનભાઇ રાયમલભાઈ રાઠોડ (30) રહે. સનાળા રોડ વૈભવ નગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને યુવાને કરેલા આપઘાતના લીધે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

