મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ
મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ
SHARE








મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ
મોરબીમાં વાલ્મીકિ જયંતિના પાવન અવસરે ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજના ભાઈઓ અને બહેનોની હાજરીમાં કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ડો.જયંતિભાઈ ભાડેસિઆએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું અને વાલ્મીકિ પૂજન કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, રાજુભાઈ વિરમગામા, દિનેશભાઈ વિડજા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. જે અંગે લલિતભાઈ પાંડે, વસંતભાઈ આહીર, જીતુભાઈ પરમાર, બકુલભાઈ, મહેન્દ્રભાઈ સહિતના જહેમત કરી રહ્યા છે આ તકે ભીમસરના અગ્રણીઓ મહેશભાઈ પરમાર, વિપુલભાઈ ઝાલા સહિતના હાજર રહ્યા હતા

