મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત


SHARE















મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે.

હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી ગયેલ છે. અને ખાસ કરીને ટંકારા સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જેને રીપેર કરવાની રજૂઆત કરવામાં આવે છે પણ કામ થતું નથી અને અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. જેથી કરીને આ ખાડામાં પેવર બ્લોક નાંખી ખાડા બુરેલ છે. પરંતુ બાઇક સ્લીપ થવાનો ભય રહે છે જો માર્ગ-મકાન વિભાગ દ્વારા વહેલી તકે મરામત કે રીપેરીંગ ન હી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે અને તાજેતરમાં રાજય સરકારે ચોમાસામાં દર વર્ષે ધોવાણ થતાં ૨૦ રસ્તાને આરસીસી કરવા માટે નિર્ણય કરેલ છે તેમાં મોરબી-ટંકારા રોડને આરસીસી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News