મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત
SHARE








મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે.
હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી ગયેલ છે. અને ખાસ કરીને ટંકારા સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જેને રીપેર કરવાની રજૂઆત કરવામાં આવે છે પણ કામ થતું નથી અને અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. જેથી કરીને આ ખાડામાં પેવર બ્લોક નાંખી ખાડા બુરેલ છે. પરંતુ બાઇક સ્લીપ થવાનો ભય રહે છે જો માર્ગ-મકાન વિભાગ દ્વારા વહેલી તકે મરામત કે રીપેરીંગ ન હી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે અને તાજેતરમાં રાજય સરકારે ચોમાસામાં દર વર્ષે ધોવાણ થતાં ૨૦ રસ્તાને આરસીસી કરવા માટે નિર્ણય કરેલ છે તેમાં મોરબી-ટંકારા રોડને આરસીસી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

