મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ગરવી ૨.૦ સોફટવેરમાં સુધારો કરવા માટે કરી રજૂઆત


SHARE











મોરબી કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ગરવી ૨.૦ સોફટવેરમાં સુધારો કરવા માટે કરી રજૂઆત

ગરવી ૨.૦ સોફટવેરમાં દસ્તાવેજના પ્રકાર વહેંચણીનું ટોકન લેતી વખતે ડેટા એન્ટ્રીમાં લખાવી લેનાર તથા લખી આપનારની જગ્યાએ પક્ષકાર નાં. ૧ તથા પક્ષકાર નાં. ૨ નો સુધારો કરવા માટેની મોરબીના કોંગ્રેસનાં આગેવાને મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, જયારે અરજદાર દ્વારા વહેંચણી દસ્તાવેજની નોંધણી કરાવવા માટે ગરવી ૨.૦ માં પ્રિ-રજીસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પ્રાથમીક વિગતમાં વહેંચણી દસ્તાવેજનો પ્રકાર પસંદ કર્યા પછી પાર્ટીની વિગત નાખવામાં આવે છે. જયારે પ્રાથમીક વિગતમાં દસ્તાવેજ લખી આપનાર તથા દસ્તાવેજ લખાવી લેનારની સંખ્યા દર્શાવવામાં આવતી હોય છે. જો લખાવી લેનારની સંખ્યામાં "૦" કરવામાં આવે તો કાર્યવાહી આગળ કરવા દેતા ન હોય, તથા સદરહું વહેંચણી દસ્તાવેજમાં લખાવી લેનાર પક્ષકારો હોય જ નહી.

કારણ કે, વહેંચણી દસ્તાવેજમાં બંને પક્ષકાર એક-બીજા પક્ષકારને લખી આપી બંધાતા હોય છે, જો લખાવી લેનારમાં સંખ્યા લખી પક્ષકારનું નામ દાખલ કરવામાં આવે તો ૩૨-એ નું ફોર્મ ડાઉનલોડ કરી ત્યારે પણ તે પક્ષકારનું નામ લખાવી લેનાર તરીકે પ્રીન્ટ થઈને આવતું હોય છે. આ રજુઆત ને ધ્યાને લઈને ગરવી ૨.૦ સોફટવેરમાં વહેંચણીનાં દસ્તાવેજની પિ-રજીસ્ટ્રેશન ફોર ડોકયુમેન્ટની કાર્યવાહી કરતી વખતે લખાવી લેનાર તથા લખી આપનારની જગ્યાએ પક્ષકાર નં. ૧ તથા પક્ષકાર નં. ૨ તથા પક્ષકાર નં. ૩ વિગેરે દર્શાવવા જરૂરી સુધારો કરવામાં આવે તો મિલ્કતના દસ્તાવેજનું ટાઈટલ જળવાઇ તે માટે આ સુધારો કરવો આવશ્ય છે.






Latest News