ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો 


SHARE







મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો 

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ રીક્ષાની સાથે મૂળ નેપાળી બ્રાહ્મણ યુવાનને પકડ્યો હતો અને તપાસ કરતા તેની પાસે રહેલી રીક્ષા ચોરાઉ હોવાનું ખુલતા મૂળ ધણીની શોધ કરીને તેની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સર્કીટ હાઇસથી આગળ માળીયા ફાટક પાસેથી એક શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે ૧૩ એવા ૧૯૪૬ સાથે મિનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતપ્રસાદ ભુષલ જાતે નેપાળી બ્રાહ્મણ (ઉમર ૧૯) હાલ રહે.મોરબી વીસીપરા ચારગોડાઉન પાસે વાળો મળી આવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેની પાસે રહેલ રિક્ષાના તેની પાસે કોઈ આધારભૂત કાગળ ન હોય પૂછપરછમાં રિક્ષા ચોરાઉ હોવાનું ખુલ્યુ હતું.જેથી કરીને રીક્ષા નંબરને આધારે રિક્ષાના માલિકની શોધખોળ ચલાવતાં દિવાનભાઈ ગણેશભાઈ ઝાપડીયા કોળી રહે.સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાની રિક્ષા હોવાનું ખૂલ્યું હતું અને તેઓની રીક્ષા ચોરી થયેલ હોય દિવાનભાઈ જાખડીયાની ફરિયાદ લઈને મિનપ્રસાદ વસંતપ્રસાદ ભુષલ નેપાળી બ્રાહ્મણ સામે રૂપિયા ૮૦ હજારની ઉપરોક્ત નંબરની રીક્ષા ચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હેડ કોસ્ટેબલ ડી.એચ.બાવળીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રામુભાઈ મગનભાઈ સાટોડા નામનો ૧૫ વર્ષીય બાળક મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજાઓ થતા ૧૦૮ વડે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ ઘોડાસરા નામના ૫૮ વર્ષીય આધેડ સોસાયટી વિસ્તારમાં બાઈક લઈને જતા હતા ત્યારે વણાંકમાં બાઈક સ્લીપ મારી જતાં ઇજાગ્રસ્ત રાજેશભાઈ ઘોડાસરાને સારવારમાં લઈ જવાયા હતા.






Latest News